Friday, April 9, 2021

કોરોના થયો છે.. ગભરાશો નહીં નીચે મુજબની કાર્યવાહી કરો

*કોરોના થયો છે.. ગભરાશો નહીં નીચે મુજબની કાર્યવાહી કરો* 

1] રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવે તો તેજ દિવસે RT-PCR ટેસ્ટ કરવો 
2] RTPCR  ટેસ્ટ ₹માં કોરોના કેટલો સક્રિય છે તેની જાણકારી મળશે .
3] RTPCR 15 થી 20 વચ્ચે આવે તો 2 દિવસમાં નીચેના રિપોર્ટ કરાવી લેવા 
4] CBC, CRP 
5] ESR
6] LFT
7] D-Dimmer
8] SGPT 
9] HRCT ખુબ વધુ અસર લાગે તો જરૂરી .

*નીચેની વસ્તુ વસાવી લેવી* 

*સાધનો* 
1] EZ-LIFE  OXIMeter - RS 1300  ઓક્સિજન અને ધબકારા માપવા માટે 
2] EZ-LIFE Thermometer  Rs  240 શરીરનું તાપમાન માપવા માટે 
દર 3 થી 4 કલાકે ઓક્સિજન અને તાપમાન માપતા રહેવું અને તેની નોંધ લેતા રેહવું.
ઓક્સિજન લેવલ 94 થી નીચે સતત જાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો 

 *દવાઓ* 
1] Azithromycin-500 - શરીરમાં રહેલ ઇન્ફેકશન દૂર કરવા માટે દિવસમાં 1 વાર - 5 દિવસ 
2] Vitamin-C   રોગ પ્રતિકારક શક્તિ વધારવા  દિવસમાં 1 વાર - 10 દિવસ 
3] Vitamin-D   રોગ પ્રતિકારક શક્તિ વધારવા અઠિવાડીયામાં  1 વાર 4 ગોળી 1 મહિના માટે 
4] ZINC  રોગ પ્રતિકારક શક્તિ વધારવા  દિવસમાં 1 વાર 10 દિવસ 
5] Paracetamol   તાવ આવે તો દર 8 કલાકે લેવી 
6] Smartbreath નાસ લેવા માટેના લીલા કલરના ટોટા દિવસમાં 2 થી 3 વાર નાસ લેવો 
7] ડૉક્ટરનું  કન્સલ્ટિંગ કરીને બાકી જે તકલીફ હોય તેના માટે અલગ અલગ દવા લખાવી લેવી.
  
*આયુર્વેદિક દવાઓ* 
1] Swasari Patanjali - ઉધરસ આવે તો દિવસમાં 3 વાર 
2] Ayush Kwath Powder - ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો  દિવસ માં 2 વાર 
3] Dharasana Malis Tel -  શરીરના સાંધાના દુખવા માટે 
4] Nilgiri nu Tel - નાસ લેવા માટે અને રૂમમાં સ્પ્રે કરવા માટે 

*ખાવા પીવાનું*  
1] ખુબજ પાણી પીવો દિવસ માં 3 લિટર મિનિમમ બને ત્યાં સુધી હુંફાળું પાણી પીવું .
2] લીંબુ સરબત દિવસમાં 2 વાર 1 ગ્લાસ 
3] નારંગી,સંતરા કે મોસંબીનું જ્યુસ  2 વાર 1 ગલાસ 
4]  સુંઠનો ભરપૂર ઉપયોગ કરો .ચા બનવામાં અને કાઢો બનાવવામાં 
5] હળદર વાળું દૂધ દિવસમાં 1 વાર 
6] ઘરનો ગરમ ખોરાક લેવાનો રાખવો. 

*નાસ કઈ રીતે લેશો* 
 શરૂઆતના 5 થી 6 દિવસ નાસનું ખૂબ જ મહત્વ છે તેથી દિવસમાં 2 થી 3 વાર જરૂર લેવો.
નાસ લેવા માટે ઉપર લખેલ દવાના ને જેમ જેમ નાસ લો તેમ તેમ  તેના ટીપા પાણીમાં ઉમેરતા જવું .એકવારમાં નાસ માટે અડધા ટોટાનો ઉપયોગ કરી શકાય. 

1] વરાળને નાક દ્વારા લો તો મોઢાથી બાર કાઢવી અને મોઢાથી લો તો નાક દ્વારા બાર કાઢવી 
2] વરાળ ને 1 મિનિટ માટે રોકી રાખવી અને ધીમે ધીમે બાર કાઢવી .
3] ઓછામાં ઓછો  10 થી 15 મિનિટ માટે નાસ લેશો.

*યોગ અને સૂર્ય પ્રકાશ* 

1] રોજે સવારે ઉગતા સુરજનો સૂર્ય પ્રકાશ ખુબજ ફાયદા કારક રહે છે .
2] તાપ લેતા લેતા પ્રાણાયામ કરવું ખુબજ ફાયદાકારક છે.
3] ઓછામાં ઓછો 40 થી 60 મિનિટ સવારના તાપમાં બેસવું 
4] સવારે થોડી હળવી કસરત કરવી 

*ડોકટોર નું કન્સલ્ટિંગ* 
1] તમે 104 પર કોરોના થયો છે તેની જાણ કરી શકો છો .સરકાર દ્વારા તમને ફ્રીમાં કોરોના માટે ની માહિતી તેમજ હોમ  કોરોન્ટાઇન માટે જરૂરી મદદ પુરી પડશે 
2] આ ઉપરાંત  દિવસ માં એક વાર ડૉક્ટર હોમમાં વિઝિટ માટે પણ આવશે .
3] તેમજ આકસ્મિક સમયમાં કઈ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલ માં જગ્યા ખાલી છે તેની માહિતી મળશે .
4] સરકારી હોસ્પિટલમાં કે પ્રાઇવેટ હોસ્પિટલ માં સરકારે અમુક પથારી આરક્ષિત કરેલ છે તેમાં દાખલ થવા 108 પર સંપર્ક કરવો .તેઓ તમને નજીકમાં જે હોસ્પિટલમાં જગ્યા હશે ત્યાં ભરતી કરાવી આપશે.
5] આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં પણ તમામ વિગતો આપેલ હોય છે તે ઇન્સટોલ કરી લેવી.
*આ માહિતી વધુને વધુ શેર કરી અન્યને મદદરૂપ થશો...*

Tuesday, August 25, 2020

ગીલોય (ગળો)(કડવા લીમડા પર ચડેલી સૌથી ઉત્તમ )

ગીલોય (ગળો)
(કડવા લીમડા પર ચડેલી સૌથી ઉત્તમ )

*આ વેલ ગરીબના ઘરની ડોક્ટર છે જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે, તે આસાનીથી ગામડાઓ મા વાડી-ખેતરોમાં અને ઝાડી-જંગલ માં મળી જાય છે*

ગીલોય એક પ્રકારની લતા/વેલ છે, જેને ગળો પણ કહે છે. જેના પાંદડા પાનના પાંદડા જેવા હોય છે. તે એટલા જ વધુ ગુણકારી હોય છે, કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે. આયુર્વેદમાં ગીલોય ને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે. ગીલોય નો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદા જુદા પ્રકારની બીમારીઓ દુર થવા લાગે છે. ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત,કફ અને પિત્ત નાશક હોય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળેછે. તે ગરીબના ઘરની ડોક્ટર છે કેમકે તે ગામ માં સરળતાથી મળી જાય છે. ગીલોય માં કુદરતી રીતે જ શરીરના દોષ ને સંતુલિત કરવાની શક્તિ મળી શકે છે.

ગીલોય એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીકા ઔષધી છે. ગીલોય ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ હોય છે. ગીલોય ની ડાળીઓ નો પણ ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગીલોયની વેલ જીવનશક્તિ થી ભરપુર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે. ગીલોયની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે.

પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને શરીરમાં સ્ટાર્ચ પણ મળે છે. ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે. તેમાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાં દર્દ નિવારણ ગુણ મળી આવે છે. તે ક્ષયરોગના જીવાણુંની વૃદ્ધી અટકાવે છે. તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનું પાચન કરવું અને રોગના સંક્રમણો ને અટકાવવાનું કામ કરે છે. આવો આપણે ગીલોયથી થતા શારીરિક ફાયદા ઉપર નજર કરીએ.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

ગીલોયમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક અગત્યનો ગુણ મળી આવે છે. ગીલોય એન્ટીઓક્સીડેંટ ના જુદા જુદા ગુણ મળી આવે છે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે. ગીલોય આપણા લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ગીલોય આપણા શરીરમાં થનારી બીમારીઓના જીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફો થી આપણા શરીરને સુરક્ષા આપે છે.

તાવ સામે લડવા માટે ઉત્તમ ઔષધી –

ગીલોય ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગીલોયમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે. ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણ ને ઉત્પન થવાથી રોકવામાં ખુબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલ છે. જો મેલેરિયાની સારવાર માટે ગીલોયનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખુબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખુબ મદદ મળે છે.

પાચન ક્રિયા કરે છે વ્યવસ્થિત

ગીલોય ને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા જુદા પ્રકારની પેટની તકલીફો ને દુર કરવામાં ગીલોય ખુબ જાણીતી છે. આપણા પાચન તંત્ર ને સુનિયમિત કરવા માટે જો એક ગ્રામ ગીલોય નો પાવડર ને થોડા એવા આંબળાના પાવડર સાથે નિયમિત રોતે લેવામાં આવે તો ખુબ ફાયદો થાય છે.

કફ નો પણ ઈલાજ છે ગીલોય

કફ થી પીડિત દર્દીને જો થોડી એવી ગીલોયનો રસ છાશ સાથે ભેળવીને આપવાથી દર્દીની તકલીફ ઓછી થવા લાગે છે.

ડાયાબીટીસ નો ઉપચાર

જો તમારા શરીરમાં લોહીમાં મળી આવતી શુગરનું પ્રમાણ વધુ છે તો ગીલોયનો રસ નિયમિત રીતે પીવાથી આ પ્રમાણ પણ ઓછું થવા લાગે છે.

ઉચા લોહીના દબાણ ને કરે નિયંત્રિત – ગીલોય આપણા શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે.

અસ્થમા નો સચોટ ઈલાજ

અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમાં ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે, ગીલોય નો ઉપયોગ કરવો. જી હા હમેશા અસ્થમાના દર્દીઓ ની સારવાર માટે ગીલોયનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, અને તેનાથી અસ્થમાની તકલીફ થી છુટકારો પણ થવા લાગે છે.

આંખોની દ્રષ્ટિ વધારવા માટે

ગીલોય આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે આપણી આંખોની દ્રષ્ટિ વધારે છે, જેને લીધે આપણે ચશ્માં પહેર્યા વગર પણ સારી રીતે જોઈ શકીએ છીએ. જો ગીલોયના થોડા પાંદડા પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થાય તે આંખોની પાપણ ઉપર નિયમિત રીતે લગાવવાથી ખુબ ફાયદો થાય છે.

સુંદરતા માટે પણ છે અસરકારક –

ગીલોયનો ઉપયોગ કરવાથી આપણા ચહેરા ઉપરથી કાળા ડાઘ, ખીલ અને કરચલીઓ ઓછી થવા લાગે છે. ચહેરા ઉપર થી ઝુરીયા પણ ઓછી થવામાં ખુબ મદદ મળે છે. તે આપણી ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. ગીલોયથી આપણી ત્વચાને સ્વસ્થ અને સુંદરતા જળવાય રહે છે. અને તેમાં એક પ્રકારની ચમક આવવા લાગે છે.

લોહી સાથે જોડાયેલ તકલીફોને પણ દુર કરે છે –

ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગીલોયનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, અને ગીલોય આપણા લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે.

દાંતમાં પીળાશ થવી –

ગીલોય અને બાવળ ના ફળને સરખે ભાગે ભેળવીને વાટી લો અને સવાર સાંજ નિયમિત રોતે તેનું મંજન કરો તેનાથી આરામ મળશે.

રક્તપિત્ત (લોહી વાળુ પિત્ત) : 10-10 ગ્રામ જેઠીમધ, ગીલોય અને દ્રાક્ષ લઈને 500 મી.લી. પાણીમાં ઉકાળીને રાબ બનાવો. આ રાબનો 1 ગ્લાસ રોજ 2-3 વખત પીવાથી રક્તપિત્ત ના રોગમાં ફાયદો મળે છે.

ખંજવાળ : હળદર ને ગીલોયના પાંદડાના રસ સાથે વાટીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો અને 3 ચમચી ગીલોયનો રસ અને 1 ચમચી મધ ને ભેળવીને સવાર સાંજ પીવાથી ખંજવાળ એકદમ મટી જાય છે.

મોટાપો : નાગરમોથા, હરડે અને ગીલોયને સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો. તેમાં 1-1 ચમચી ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વખત લેવાથી મોટાપા ના રોગમાં પણ ફાયદો થાય છે. હરડે,બહેડા, ગીલોય અને આંબળા ની રાબ માં સુદ્ધ શિલાજીત પકવીને ખાવાથી મોટાપાને વધતો અટકાવે છે. 3 ગ્રામ ગીલોય અને 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ સવાર અને સાંજે મધ સાથે ચાટવાથી મોટાપો ઓછો થઇ જાય છે.

હિચકી : સુંઠ નું ચૂર્ણ અને ગીલોયનું ચૂર્ણ સરખા ભાગે ભેળવીને સુંઘવાથી હિચકી આવતી બંધ થઇ જાય છે.

દરેક પ્રકારના તાવ : સુંઠ, ધાણા, ગીલોય, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે.

કાનમાં મેલ સાફ કરવા માટે : ગીલોયને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમાં 2 વખત નાખવાથી કાનનો મેલ નીકળી જાયછે અને કાન સાફ થઇ જાય છે.

કાનમાં દુઃખાવો : ગીલોયના પાંદડાના રસને હુંફાળું કરીને તે રસને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી કાનનો દુઃખાવો દુર થઇ જાય છે.

સંગ્રહણી (પેચીશ) : અતિ, સુંઠ, મોથા અને ગીલોય ને સરખા ભાગે લઈને પાણી સાથે ભેળવીને રાબ બનાવી લો. આ રાબને 20-30 ગ્રામ ના પ્રમાણમાં સવાર-સાંજ પીવાથી મન્દાગની (ભૂખ ઓછી લાગવી) કબજિયાત ની તકલીફ રહેવી દસ્ત ની સાથે આંવ આવવું વગેરે જાતની તકલીફ દુર થઇ જાય છે.

કબજિયાત : ગીલોયનું ચૂર્ણ 2 ચમચી પ્રમાણે ગોળ સાથે સેવન કરો તેનાથી કબજીયાતની તકલીફ દુર થઇ જાય છે.

એસીડીટી : ગીલોયના રસનું સેવન કરવાથી એસીડીટી ને લીધે ઉત્પન થતા અનેક રોગ જેવા કે પેચીશ, પોલીયો, મૂત્રવિકારો (પેશાબ સાથે જોડાયેલ રોગ) અને આંખના વિકાર (આંખના રોગ) થી છુટકારો મળી જાય છે. ગીલોય, લીમડાના પાંદડા અને કડવા પરવળ ના પાંદડા ને વાટીને મધ સાથે પીવાથી અમ્લપિત્ત દુર થઇ જાય છે.

લોહીની ઉણપ (એનીમિયા): ગીલોયનો રસ શરીરમાં પહોચીને લોહી વધારે છે અને જેના કારણે શરીરમાં લોહીની ઉણપ (એનીમિયા) દુર થઇ જાય છે.

હ્રદયની નબળાઈ : ગીલોયના રસનું સેવન કરવાથી હ્રદયની નબળાઈ દુર થાય છે. આવી રીતે હ્રદય ને શક્તિ મળવાથી જુદા જુદા પ્રકારના હ્રદય સાથે જોડાયેલા રોગ ઠીક થઇ જાય છે.

હ્રદયમાં દુઃખાવો : ગીલોય અને કાળા મરીનું ચૂર્ણ 10-10 ગ્રામના પ્રમાણમાં ભેળવીને તેમાંથી 3 ગ્રામ મુજબ હળવા ગરમ પાણી સાથે સેવન કરવાથી હ્રદયના દુખાવામાં ફાયદો મળે છે.

હરસ, કુષ્ઠ અને કમળો : 7 થી 14 મી.લી. ગીલોયનો તાજો રસ મધ સાથે દિવસમાં 2 વખત સેવન કરવાથી હરસ, કોઢ અને કમળાનો રોગ ઠીક થઇ જાય છે.

હરસ : મઠા (છાશ, તક્ર) ની સાથે ગીલોયનું ચૂર્ણ 1 ચમચી મુજબ દિવસમાં સવાર સાંજ લેવાથી હરસ માં ફાયદો મળે છે. 20 ગ્રામ હરડે, ગીલોય, ધાણા લઈને ભેળવી લો અને તેને 5 કિલોગ્રામ પાણીમાં પકાવો જયારે તે ચોથા ભાગનું વધે ત્યારે તેમાં ગોળ નાખીને ભેળવી દો અને પછી તે સવાર સાંજ સેવન કરો તેનાથી તમામ પ્રકારના હરસ ઠીક થઇ જશે.

મૂત્રકુચ્છ (પેશાબ કરવામાં તકલીફ કે બળતરા) : ગીલોયનો રસ કીડની ની કામગીરીને ઝડપી બનાવીને પેશાબના પ્રમાણને વધારીને તેના અટકાવને દુર કરે છે. વાત વિકૃત્તિ થી ઉભા થતા મૂત્રકુચ્છ (પેશાબમાં બળતરા) રોગ માં પણ ગીલોયનો રસ ફાયદાકારક છે.

રક્તપદર : ગીલોયના રસનું સેવન કરવાથી રક્તપદર માં ખુબ ફાયદો થાય છે.

ચહેરા ઉપર ડાઘ-ધબ્બા : ગીલોયની વેલ ઉપર લાગેલા ફળને વાટીને ચહેરા ઉપર ઘસવાથી ચહેરા ઉપરથી મુહાસે,ફોડકા-ખીલ અને કરચલી દુર થઇ જાય છે.

સફેદ ડાઘ : સફેદ ડાઘ ના રોગમાં 10થી 20 મી.લી. ગીલોય નો રસ રોજ 2-3 વખત થોડા મહિના સુધી સફેદ ડાઘ વાળી જગ્યા ઉપર લગાવવાથી ફાયદો થાય છે.

પેટના રોગો : 18 ગ્રામ તાજી ગીલોય, 2 ગ્રામ અજમો અને નાની પીપર, 2 લીમડાના ઠળિયા ને વાટીને 250 મી.લી. પાણી સાથે માટીના વાસણમાં ફૂલવવા માટે રાતના સમયે મૂકી દો અને સવારે તેને ગાળીને રોગીને રોજ 15 થી 30 દિવસ સુધી પીવરાવવાથી પેટના તમામ રોગોમાં આરામ મળે છે.

સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગીલોયનું 2-4 ગ્રામ ચૂર્ણ, દૂધ સાથે દિવસમાં 2 થી 3 વખત સેવન કરવાથી ગઠીયાનો રોગ ઠીક થઇ જાય છે.

વાતજ્વર : ગભ્ભારી, બિલ્વ, અર્ની, શ્યોનાક (સોનાપાઠા), અને પાઢલ તેના થડની છાલ અને ગીલોય, આંબળા, ધાણા તે બધું સરખા ભાગે લઈને રાબ બનાવી લો. તેમાં થી 20-30 ગ્રામ રાબ દિવસમાં 2 વખત સેવન કરવાથી વાતજ્વર ઠીક થઇ જાય છે.

શીતપિત્ત (લોહીવાળું પિત્ત) : 10 થી 20 ગ્રામ ગીલોયના રસમાં બાવચી ને વાટીને લેપ બનાવી લો. આ લેપને લોહીવાળા પિત્ત ની બન્ને તરફ લગાવો અને માલીશ કરવાથી શીતપિત્ત નો રોગ ઠીક થઇ જાય છે.

જીર્ણજ્વર (જુનો તાવ) : જીર્ણ જ્વર કે 6 દિવસથી વધુ સમય સુધી આવી રહેલ તાવ અને ન ઠીક થતા તાવ ની સ્થિતિમાં સારવાર કરવા માટે 40 ગ્રામ ગીલોયને સારી રીતે વાટીને, માટીના વાસણમાં 250 મી.લી. પાણીમાં ભેળવીને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારના સમયે તેને મસળીને ગાળીને પી લો. આ રસને રોજ દિવસમાં 3 વખત લગભગ 20 ગ્રામ ના પ્રમાણમાં પીવાથી ફાયદો થાય છે. 20 મી.લી. ગીલોયના રસમાં 1 ગ્રામ પીપરી અને 1 ચમચી મધ ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી જીર્ણજ્વર, કફ, પ્લીહારોગ (તીલ્લી), ખાંસી અને અરુચિ (ભોજન સારું ન લાગવું) વગેરે રોગ માં સારું થઇ જાય છે.

વમન : ગીલોયનો રસ અને સાકરને ભેળવીને 2-2 ચમચી ગીલોયની રાબ બનાવીને ઠંડી કરીને પીવાથી ઉલ્ટી થવાનું બંધ થઇ જાય છે.

પેચીશ (સંગ્રહણી) : 20 ગ્રામ પુનર્રવા, ક્તુકી, ગીલોય, લીમડાની છાલ, પટોલપત્ર, સુંઠ, દારૂહળદર, હરડે વગેરે ને 320 મી.લી. પાણીમાં ભેળવીને તેને ઉકાળો જયારે તે 80 ગ્રામ રહે તો આ રાબ ને 20 ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ પીવાથી પેચીશ ઠીક થઇ જાય છે. 1 લીટર ગીલોયના રસમાં, તેમાં 250 ગ્રામ તેના ચૂર્ણને 4 લીટર દૂધ અને 1 કિલોગ્રામ ભેંશ ના ઘી માં ભેળવીને તેને હળવા તાપ ઉપર પકાવો જયારે તે 1 કિલો ગ્રામ વધે તો તેને ગાળી લો. તેમાં થી 10 ગ્રામ ના પ્રમાણમાં 4 ગણું ગાયના દુધમાં ભેળવીને સવાર સાંજ પીવાથી પેચીશ રોગમાં સારું થઇ જાય છે અને તેનાથી કમળો અને હલીમક રોગ ઠીક થઇ શકે છે.

આંખની બીમારી : લગભગ 11 ગ્રામ ગીલોયના રસમાં 1-1 ગ્રામ મધ અને સિંધાલુમીઠું ભેળવીને, તેને ખુબ સારી રીતે ગરમ કરો અને પછી તે ઠંડુ કરીને આંખો ઉપર લગવવાથી આંખના ઘણી જાતના રોગ દુર થઇ જાય છે. તેના ઉપયોગથી પિલ્લ, બવાસીર, ખરજવું, લિંગનાશ અને શુક્લ અને કૃષ્ણ પટલ વગેરે રોગ પણ ઠીક થઇ જાય છે. ગીલોયના રસમાં ત્રિફળા ને ભેળવીને રાબ બનાવી લો. તેને પીપરના ચૂર્ણ અને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ વધી જાય છે અને આંખો સાથે જોડાયેલ ઘણી જાતના રોગો દુર થઇ જાય છે.

ક્ષય (ટી.બી.) : ગીલોય, કાળામરી, વંશલોચન,ઈલાયચી વગેરે ને સરખા ભાગે લઈને ભેળવી લો. તેમાં 1-1 ચમચીના પ્રમાણમાં દૂધ સાથે થોડા અઠવાડિયા સુધી લેવાથી ક્ષયનો રોગ દુર થઇ જાય છે. કાળા મારી, ગીલોયનું ઝીણું ચૂર્ણ , નાની ઈલાયચીના બે દાણા, અસલી વંશલોચન અને ભીલવા સરખા પ્રમાણમાં વાટીને કપડાથી ગાળી લો. તેમાં થી 130 મીલીગ્રામ પ્રમાણે માખણ કે મલાઈમાં ભેળવીને દિવસમાં 3 વખત સેવન કરવાથી ટીબી નો રોગમાં સારું થઇ જાય છે.

વાતરક્ત : ગીલોયના 5-10 મી.લી. રસા અથવા 3-6 ગ્રામ ચૂર્ણ કે 10-20 ગ્રામ કલ્ક અથવા 40-60 ગ્રામ રાબને રોજ સતત થોડો સમય સુધી પીવાથી રોગી વાતરક્ત થી મુક્ત થઇ જાય છે.

લોહીનું કેન્સર : લોહીના કેન્સરથી પીડિત રોગીને ગીલોયના રસમાં જવાખાર ભેળવીને સેવન કરાવવાથી તેનું લોહીનું કેન્સર ઠીક થઇ જાય છે. ગીલોય લગભગ 2 ફૂટ લાંબી અને એક આંગળી જેટલી મોટી, 10 ગ્રામ ઘઉં ના લીલા પાંદડા લઈને થોડા પાણીમાં ભેળવીને વાટી લો પછી તેને કપડામાં રાખીને નીચોવીને રસ કાઢી લો. આ રસના એક કપના પ્રમાણમાં ખાલી પેટ સેવન કરવાથી ફાયદો થાય છે.

આંતરિક તાવ : 5 ગ્રામ ગીલોયના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગીલોયની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે.

અજીર્ણ (અસાધ્ય) જ્વર : ગીલોય, નાની પીપર, સુંઠ, નાગરમોથા અને ચીરયતા આબધુ જ વાટીને રાબ બનાવી લો. આ રાબ પીવાથી અજીર્ણજન્ય તાવ ઓછો થઇ જાય છે.

પૌરૂષ શક્તિ : ગીલોય, મોટું ગોખરું અને આંબળા સરખા ભાગે લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાંથી 5 ગ્રામ ચૂર્ણ રોજ સાકર અને ઘી સાથે ખાવાથી પૌરૂષ શક્તિમાં વધારો થાય છે.

વાત-કફ જ્વર : વાત કે તાવ આવે તો 7 દિવસની સ્થિતિમાં ગીલોય, પીપરીમૂળ,સુંઠ અને ઇન્દ્ર્જો ને ભેળવીને રાબ બનાવીને પીવાથી ફાયદો થાય છે.

દમ (શ્વાસ નો રોગ) : ગીલોયના થડ ની છાલ ને વાટીને મઠા સાથે લેવાથી શ્વાસ નો રોગ ઠીક થઇ જાય છે. 6 ગ્રામ ગીલોયનો રસ, 2 ગ્રામ ઈલાયચી અને 1 ગ્રામ ના પ્રમાણમાં વંશલોચન મધમાં ભેળવીને ખાવાથી ક્ષય અને શ્વાસ રોગમાં સારું થઇ જાય છે.

મેલેરિયા તાવ : ગીલોય 5 લાંબા ટુકડા અને 15 કાળા મરી ને ભેળવીને વાટીને 250 મી.લી. પાણીમાં નાખીને ઉકાળી લો. જયારે તે 58 ગ્રામ વધે તો તેનું સેવન કરો તેનાથી મેલેરિયા તાવની સ્થિતિમાં ફાયદો થાય છે.

તાવ : ગીલોય 6 ગ્રામ, ધાણા 6 ગ્રામ, લીમડાની છાલ 6 ગ્રામ, પધાખ 6 ગ્રામ અને લાલ ચંદન 6 ગ્રામ આ બધાને ભેળવીને રાબ બનાવી લો. આ બનેલી રાબ સવારે અને સાંજે પીવાથી દરેક પ્રકારનો તાવ ઠીક થઇ જાય છે.

કફ અને ખાંસી : ગીલોયને મધ સાથે ચાટવાથી કફ વિકાર દુર થાય છે.

જીભ અને મોઢામાં સુકાપણું : ગીલોય (ગુરુચ) નો રસ 10 મી.લી. થી 20 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને ખાવ પછી જીરું અને સાકરનું સરબત પીવો. તેનાથી ગળામાં બળતરા ને લીધે થતા મોઢામાં સુકાપણું દુર થઇ જાય છે.

જીભની પ્રદાહ અને સોજો : ગીલોય, પીપર અને રસૌતની રાબ બનાવીને તેના કોગળા કરવાથી જીભની બળતરા અને સોજો દુર થઇ જાય છે.

મોઢાની અંદર છાલા : ધમાસા,હરડે, જાવિત્રી, દખ, ગીલોય, બહેડા અને આંબળા આ બધાને સરખા ભાગે લઈને રાબ બનાવી લો. ઠંડી પડે એટલે તેમાં મધ ભેળવીને પીવાથી મુખપાક દુર થાય છે.

શારીરિક નબળાઈ : 1૦૦ ગ્રામ ગીલોય ની લય, 100 ગ્રામ અનંતમૂળનું ચૂર્ણ, બન્નેને એક સાથે 1 લીટર ઉકળતા પાણીમાં ભેળવી દો કોઈ બંધ વાસણમાં મૂકી દો. 2 કલાક પછી મસળી ગાળીને સુકવી લો. તેનો 50-100 ગ્રામ રોજ 2-3 વખત સેવન કરવાથી તાવ ને લીધે આવેલ શારીરિક નબળાઈ દુર થાય છે.

એઇડ્સ (એચ.આઈ.વી.) : ગીલોય નો રસ 7 થી 10 મી.લી., મધ કે કડવા લીમડાનો રસ અથવા દાળ ચૂર્ણ કે હરિદ્રા, ખદીર અને આંબળા એક સાથે રોજ 3 વખત ખાવાથી એઈડ્સમાં ફાયદો મળે છે. તે ઉપસતા ઘાવ, પ્રમેહ જન્ય મૂત્રસંસ્થાન ના રોગ નાશક અને જીર્ણ પુતિ કેન્દ્ર જન્ય વિકાર નાશક માં ફાયદાકારક રહે છે.

ભગંદર : ગીલોય, સુંઠ,પુનર્વવા, બરગદ ના પાંદડા અને પાણીની અંદરની ઈંટ આ બધાને સરખા ભાગે લઇ લો, અને વાટીને ભગંદર ઉપર લેપ કરવાથી જો ભગંદર ની ફોડકી પાકી ન હોય તો તે ફોડકી બેસી જાય છે. 
ગીલોય, સોઠી ના મૂળ,સુંઠ,જેઠીમધ અને બેરીના કોમળ પાંદડા તેને જરૂરી વાટીને તેને હળવું ગરમ કરીને ભગંદર ઉપર લેપ કરો તેનાથી લાભ થાય છે.

યકૃત કે જીગરનો રોગ : ગીલોય, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે પ્લીહા, કમળાનો રોગ, અગ્નિમાન્ધ (અપચો), ભૂખ ન લાગવી, જુનો તાવ અને પાણી બદલાવાને લેધે થતા રોગો ઠીક થઇ જાય છે.

તરસ વધારે લાગવી : ગીલોયનો રસ 6 થી 10 મી.લી. ના પ્રમાણમાં દિવસમાં ત્રણ વખત લેવાથી તરત તરસ છીપાય છે.

પિત્ત વધવો : ગીલોયનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ સાથે ભેળવીને ખાવ તેનાથી લાભ થશે.

મધુમેહ : 40 ગ્રામ લીલી ગીલોયનો રસ, 6 ગ્રામ પાષાણ ભેદ અને 6 ગ્રામ મધ ને ભેળવીને 1 મહિના સુધી પીવાથી મધુમેહ રોગ ઠીક થઇ જાય છે કે 20-50 મી.લી. ગીલોયનો રસ સવારે સાંજે સરખા પ્રમાણમાં પાણી સાથે મધુમેહ ના રોગીને સેવન કરાવો કે રોગીને જયારે જયારે તરસ લાગે તો તેનું સેવન કરાવો તેનાથી ફાયદો થશે. કે 15 ગ્રામ ગીલોયનું ઝીણું ચૂર્ણ અને 5 ગ્રામ ઘી ને ભેળવીને દિવસમાં 3 વખત રોગીને સેવન કરાવો તેનાથી મધુમેહ (શુગર) રોગ દુર થઇ જાય છે.

સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગીલોય અને સુંઠ ને એક સરખા પ્રમાણમાં લઈને તેની રાબ બનાવીને પીવાથી જુનામાં જુનો ગઠીયા રોગમાં ફાયદો થાય છે કે ગીલોય, હરડેની છાલ, ભીલાવા, દેવદાર, સુંઠ અને સાઠી ના મૂળ આ બધાને 10-10 ગ્રામના પ્રમાણમાં લઈને વાટીને ચૂર્ણ બનાવી લો અને નાની બોટલમાં ભરી લો તેની અડધી ચમચી ચૂર્ણ અડધો કપ પાણીમાં પકવીને ઠંડુ થાય એટલે પી લો તેનાથી રોગીના ગોઠણ નો દુખાવો ઠીક થઇ જશે કે ગોઠણનો દુઃખાવો દુર કરવા માટે ગીલોયનો રસ અને ત્રિફળા નો અડધો કપ પાણીમાં ભેળવીને સવાર સાંજ ભોજન પછી પીવાથી ફાયદો થાય છે.

પેટમાં દુઃખાવો : ગીલોય નો રસ 7 મી.લી. થી લઈને 10 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને સવાર અને સાંજ સેવન કરવાથી પેટનો દુઃખાવો ઠીક થઇ જાય છે.

કમળાનો રોગ : ગીલોય અથવા કાળા મરી અથવા ત્રિફળા નું 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી કમળાના રોગમાં લાભ થાય છે. કે ગીલોયની માળા ગળામાં પહેરવાથી કમળાનો રોગ કે પીળિયો માં લાભ થાય છે. કે ગીલોયનો રસ 1 ચમચીના પ્રમાણ માં દિવસમાં સવારે અને સાંજે સેવન કરો.

સુકો રોગ (રીકેટસ) : લીલી ગીલોયના રસમાં બાળકના કુર્તા પલાળી ને સુકવી લો અને તે કુર્તા સુકા રોગથી પીડિત બાળકને પહેરાવી રાખો. તેનાથી બાળક થોડા જ દિવસમાં સાજુ થઇ જશે. માનસિક અસ્થિર (ગાંડપણ) : ગીલોય ની રાબ બ્રાહ્મી સાથે પીવાથી ગાંડપણ દુર થાય છે.

શરીરમાં બળતરા : શરીરમાં બળતરા કે હાથ પગની બળતરા માં 7 થી 10 મી.લી. ગીલોયના રસને ગુગળ કે કડવો લીમડો કે હરિદ્ર, ખાદીર અને આંબળા સાથે ભેળવીને રાબ બનાવી લો. રોજ 2 થી 3 વખત આ રાબ નું સેવન કરવાથી શરીરમાં થતી બળતરા દુર થઇ જાય છે.

કોઢ : 100 મી.લી. એકદમ ચોખ્ખી ગીલોયનો રસ અને 10 અનંતમૂળ નું ચૂર્ણ 1 લીટર ઉકળતા પાણીમાં ભેળવીને કોઈ બંધ વાસણમાં 2 કલાક માટે રાખી મુકો 2 કલાક પછી તેને વાસણમાં કાઢીને મસળીને ગાળી લો. તેમાંથી 50 થી 100 ગ્રામ ના પ્રમાણમાં રોજ દિવસમાં 3 વખત સેવન કરવાથી લોહી સાફ થવાથી કોઢ ના રોગમાં સારું થઇ જાય છે.

લોહીની ઉણપ : ૩૬૦ મી.લી. ગીલોયના રસમાં ઘી ભેળવીને રોજ સવાર સાંજ સેવન કરવાથી શરીરમાં લોહીની વૃદ્ધી થાય છે. કે ગીલોય 24 થી 36 મીલીગ્રામ સવાર સાંજ મધ અને ગોળ સાથે સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દુર થઇ જાય છે.

માથેનો દુઃખાવો : મેલેરિયા ને લીધે થતા માથાના દુઃખાવા ને ઠીક કરવા માટે ગીલોયની રાબનું સેવન કરો.

વધુ પરસેવો આવવો કે દુર્ગંધ આવવી : 20 થી 40 મી.લી. ગીલોયનું સરબત 4 ગણા પાણીમાં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવાથી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થઇ જાય છે.

શરીર તાકાતવાળુ અને શક્તિશાળી બનાવવું : લગભગ 4 વર્ષ જૂની ગીલોય જો કે લીમડો કે આંબા ના ઝાડ ઉપર સારી રીતે પાકી ગઈ હોય. હવે આ ગીલોય ના 4-4 ટુકડા આંગળી જેવડા કરી લો. હવે તેને પાણીથી સાફ કરીને કુટી લો અને પછી તેને સ્ટીલના વાસણમાં લગભગ 6 કલાક સુધી પલાળીને મૂકી દો.ત્યાર પછી તેને હાથથી ખુબ મસળી ને મિક્સર માં નાખીને વાટો અને ગાળીને તેના રસને જુદો કરી લો અને તેને ધીમેથી બીજા વાસણમાં પાથરી દો અને આમ કરવાથી વાસણમાં નીચે ઝીણું ચૂર્ણ જામી જશે પછી તેમાં બુજુ પાણી નાખીને મૂકી દો. ત્યાર પછી પાણીને પણ ઉપરથી નીતારી લો. આવું બે થી ત્રણ વાર કરવાથી એક ચમકદાર સફેદ રંગનું ઝીણું વાટેલું ચૂર્ણ મળશે. તેને સુકવીને કાંચના વાસણમાં ભરીને મૂકી દો. ત્યાર પછી લગભગ 10 ગ્રામના પ્રમાણમાં ગાયના તાજા દૂધ સાથે તેમાં (ખડી) સાકર નાખીને લગભગ 1 કે 2 ગ્રામના પ્રમાણમાં ગીલોય નો રસ નાખી દો. ઝીણો તાવ આવે ત્યારે ઘી અને (ખડી) સાકર સાથે કે મધ અને પીપરીમૂળ સાથે કે ગોળ અને કાળી જીરી સાથે સેવન કરવાથી શરીરમાં થતા જુદા જુદા પ્રકારની બીમારીઓ ઠીક થઇ જાય છે અને શરીરમાં નવી શક્તિનો વધારો થાય છે.

Monday, July 13, 2020

GUJARATI SHRUT LEKHAN PART-4(ગુજરાતી શ્રુતલેખન ભાગ-૪) CREATED BY VIJAY ...

નમસ્કાર મિત્રો, અહી
હું આપની સમક્ષ આ વિડિયોમાં વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા જ શ્રુતલેખનનો મહાવરો થાય એ
માટે શ્રુતલેખનના શબ્દો રજૂ કરી રહ્યો છુ. આ વિડિયોમાં મે
10 શબ્દોનું શ્રુતલેખન કરાવેલ છે. આશા રાખું છુ કે આ વિડીયોની મદદથી આપના વિદ્યાર્થીઓને શ્રુતલેખનનો મહાવરો થશે.  અને આપના તથા આપના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકશે. વિદ્યાર્થીઓને નમ્ર
વિનંતી છે કે આ વિડીયો શરૂ કરતાં પહેલા તમારી નોટબુક અને પેન લઈને પછી જ શ્રુતલેખન
કરવા બેસજો.

શ્રુતલેખન ભાગ-4

અહી આ વિડિયોમાં મે નીચે મુજબના 10 શબ્દોનું શ્રુતલેખન કરાવેલ
છે.
(1) બજાર
(2) પંખી
(3) દવાખાનું
(4) હોળી
(5) તપેલી
(6) કેળાં
(7) બીજું
(8) ભૂલી
(9) પ્રકાશ
(10) સ્વાદ

જો આપને આ વિડીયો ગમ્યો
હોય તો
આ વિડિયોને ‘LIKE’ કરો SHARE’ કરો અને SUBSCRIBE’ કરો. અને તેને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોચડજો. અને તમારો અભિપ્રાય
નીચે કોમેટ બોક્સમાં જરૂર જણાવજો. આભાર.


read more...

Tuesday, January 14, 2020

"ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"



જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે.

આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"

આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડો દિવસ ઉઠ્યો કારણ કે થોડા મહિના પછી 33 વર્ષની ઉંમરે તેણે વિષાદથી/ઉદાસીનતાને કારણે આત્મહત્યા કરી હતી.

શું થયું?

વાસ્તવમાં જ્યારે ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર  એમને મળેલ પુલિતઝર પુરસ્કારની ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર વિશ્વમાં મુખ્ય ચેનલ અને નેટવર્ક પર ચર્ચા કરવામાં આવી હતી. તેમનો વિષાદ ત્યારે શરૂ થયો જ્યારે એક 'ફોન ઇન્ટરવ્યુ' દરમિયાન કોઈએ પૂછ્યું કે તે છોકરીનું શું થયું?  કાર્ટરે જણાવ્યું હતું કે તે જોવા માટે તે રોકાઇ શક્યો ન હતો કેમ કે તેમને ફ્લાઇટ પકડની હતી.

આ જવાબ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું "હું આપને જણાવી દઉં કે એ દિવસે ત્યાં બે ગીધ હતાં. જેમાંથી એકનાં હાથમાં કેમેરો હતો.

આ સાભળીને કેવિન કાર્ટર એ હદે વિચલિત થયો અને એ પછી તે ડીપ્રેશનમાં ચાલ્યો ગયો. અને અંતમાં તેણે આત્મહત્યા કરી.

કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે.

કેવિન કાર્ટરે જો એ સમયે તે બાળકીને ઉઠાવીને યુનાઈટેડ નેશન્સના ફીડિંગ સેન્ટર સુધી પહોંચાડી હોત તો એ બાળકીની સાથે આજે એ પણ જીવીત રહ્યો હોત.

બીજી વખત આ વાક્ય રીપીટ કરૂ છું, *કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે* .

Monday, January 13, 2020

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.

*નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.*

એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ શરુ થયું ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપૉર્ટ આવ્યા,  હવે તેઓ તે આંખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહેવામાં આવ્યું....મિત્રો એવું શક્ય નથી.. 

તો મિત્રો આપણુ શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે...ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે અને એટલે જ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ  નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે...

નાભિ ની પાછળ ના ભાગ માં "પેચોટી" હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિનિઓની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે.

નાભિમાં ગાયનું શુદ્ધ ઘી અને તેલ લગાડવાથી ઘણાબધા  શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે.

1.આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો ..

સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને  નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ .

2. ઘૂંટણના દર્દમાં*

સુતા પહેલા ત્રણ થી સાત  ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ.

3. શરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવું તથા સુકી ત્વચા ના ઉપાય માટે*

રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ.

  
4. મોઢા ઉપર તથા વાંસામાં થતા ખીલ માટે*     
 લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા નાભિમાં ઉપર મુજબ નાખવું.

                  
*નાભિમા તેલ નાખવાનુ કારણ*

નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે, એટલે એમાં એ તેલ ને પસાર કરીને નાખે છે.

જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરત જ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ કામ છે.

*ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરવો જેથી  ઘી અને તેલ નાખવુ સરળ રહે .*

આપણા સ્નેહીજન , મિત્રો , પરિજનો , તથા સર્વ પરિચિતો સાથે નાભિ માં ઘી, તેલ ના ઉપયોગ અને એના ફાયદા શેર કરો..     

યોગ આચાયૅ 
*હરીશભાઈ વૈદ* *વડોદરા*

દીપક ગજ્જર { આયુર્વેદ અને હર્બલ }કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.
~~~~~~~~~~~~~~
R1.00 અથવા તેથી ઓછા ખર્ચે તમારી કિડની સાફ કરો
~~~~~~~~~~~~~~

વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા તથા રક્તને ફિલ્ટર કરી રહી છે. 
લાંબા સમયે મીઠું કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.

આપણે આને સાફ કરવાની દરકાર કરી છે?

અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.

 તાજા લીલા ધાણા (કોથમરી) ની એક ઝૂડી લો અને તેને સાફ કરો. તે નાના ટુકડાઓમાં સમારીને તે પોટ માં મૂકો. શુધ્ધ પાણીમાં દસ મિનિટ માટે ઉકાળો. પછી તે ઠંડું થવા દો.
 તેને ગરણીથી ગાળી લો. ઠંડુ કરી સ્વચ્છ બોટલમાં ભરી અને તેને ઠંડું કરી રેફ્રિજરેટરમાં રાખો.

તેમાંથી દરરોજ એક ગ્લાસ સવારે નરણે કોઠે પીઓ.
અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી  જોશો.
તમે પોતે તેનો તફાવત પરખી શકશો. 

તાજા લીલાં ધાણા CORINNDER કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી છે!

કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને રાખો
તમારી કિડની સ્વચ્છ.

ફક્ત વાંચો નહીં
તમે પોતે કાળજી લો છો તો તેને ફોરવર્ડ કરો.