Wednesday, September 9, 2015

નિર્દોષાનંદ માનવસેવા ટ્રસ્ટ ભાવનગર

ગુજરાતમાં એક પરબ સમાન હોસ્પિટલ ધમધમે છે જ્યાં આવનારા તમામ દર્દીને તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. નાની-મોટી નહીં પણ ગંભીર બીમારીના મોટા મોટા ઓપરેશન પણ કોઈપણ પ્રકારની ફી લીધા વી ના કરવામાં આવે છે.
અમે વાત કરી રહ્યા છીએ સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની. આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને આવેલી છે.
નિર્દોષાનંદ હોસ્પિટલમાં દર્દીઓને માત્ર તપાસ, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ ચાર્જ વિના અપાય છે. આ ઉપરાંત દર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની ! સગવડ પણ આપવામાં આવે છે. આ તમામ સુવિધાઓ પણ સંપૂર્ણ નિ:શૂલ્ક અપાય છે. ભારતભરમાં આ રીતે સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપતા ચિકિત્સાલયો ભાગ્યે જ જોવા મળે છે.

નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં સારણગાંઠ, એપેન્ડિક્સ, થાઈરોઈડ, ગર્ભાશયના ઓપરેશનો, સ્તન કેન્સર, આંતરડાના ઓપરેશન�! � તથા સરકમસિઝન સર્ઝરી વિનામૂલ્યે થાય છે. પ્રોફેશનલ હોસ્પિટલોમાં જે ઓપરેશનો એક લાખ રૂપિયા આપતા પણ ન થાય તેવા ઓપરેશનો અહીં એક પણ રૂપિયો લીધા વિના કરી આપવામાં આવે છે.

અહીં દર મહિને સરેરાશ 75થી 80 જેટલી પ્રસુતી થાય છે. પ્રસુતી બાદ પ્રસુતાને એક કિટ અપાય છે. જેમાં ચોખ્ખુ ઘી-ગોળ અને લોટ તેમજ શરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે.  આ ઉપરાંત પ્રસુતાને રજા આપતી વેળા શ�! ��દ્ધ ઘીની ઔષધિયુક્ત દોઢ કીલો સુખડીનું બોક્સ આપવામાં આવે છે.

નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં નોર્મલ ડિલીવરી, સિઝેરીયનનું ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન (Pro-Asse Uterus), સ્ત્રી નસબંધીનું ઓપરેશન(T.L.), ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશનની સુવિધા અને સેવા આપવામાં આવે છે.

જાન્યુઆરી-2011થી ફેબ્રુઆરી-2013 સુધીમાં એટલે કે 26 માસમાં અહીં 1,87,260 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે. કુલ મળ�! ��ને 3345 ઓપરેશનો કરવામાં આવ્યા છે. તેમજ અન્ય વિભાગોમાં પણ 40998 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

આ તમામ સારવાર-સુવિધાઓ ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉનાળ�! ��ના સમયમાં હોસ્પિટલની આસપાસના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશકેન્દ્ર ચલાવવામાં આવે છે. તો શિયાળામાં ઉકાળાકેન્દ્ર ચલાવાય છે.


આ હોસ્પિટલમાં ઈ.એન.ટી., યુરોલોજીસ્ટ, ફિઝિશિયન, રેડોયોલોજીસ્ટ, ચેસ્ટ ફિઝિશિયન, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, એનેસ્થેટિક, ઓપ્થાલ્મો, આયુર્વેદીક, ઓડિયોમેટ્રી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પ�! �શિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.

નિર્દોષાનંદ માનવસેવા ટ્રસ્ટ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ મા છે કોઇપણને મોકલો જેનાથી કોઇપણની જીન્દગી બચીશકે છે
Contact on following e mail id
nirdosh@yahoo.com

No comments:

Post a Comment